ભારત સરકાર વિદેશી રોકાણને આકર્ષવા માટે ૨૦૧૬ના Model Bilateral Investment Treaty (BIT) માં મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. UAE અને Israel સાથેની સમજૂતી જેવી ફ્લેક્સિબલ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન સિસ્ટમ અપનાવીને રોકાણકારોનો વિશ્વાસ જીતવાનો સરકારનો લક્ષ્ય છે.
કેમ જરૂરી છે આ બદલાવ?
ભારતમાં વિદેશી રોકાણ (FDI) ના પ્રવાહમાં છેલ્લા કેટલાક સમયથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. FY20-FY22 દરમિયાન સરેરાશ $40 બિલિયન નું FDI મળતું હતું, જે ઘટીને FY26 માં લગભગ $7.65 બિલિયન પર આવી ગયું છે. આ ચિંતાજનક આંકડાઓને જોતા સરકાર હવે નીતિઓમાં ફેરફાર કરવા જઈ રહી છે.
જૂના નિયમોથી રોકાણકારો કેમ નારાજ હતા?
૨૦૧૬ના મોડલ મુજબ, કોઈપણ વિદેશી રોકાણકારે આંતરરાષ્ટ્રીય આર્બિટ્રેશન (Arbitration) માં જતા પહેલા ભારતીય કોર્ટમાં ઓછામાં ઓછા ૫ વર્ષ સુધી કાનૂની લડત લડવી ફરજિયાત હતી. આ નિયમ રોકાણકારો માટે મોટો અવરોધ બન્યો હતો, કારણ કે તેનાથી વિવાદોનો નિકાલ ખૂબ ધીમો પડતો હતો.
નવી નીતિની અસર?
સરકાર હવે UAE અને Israel સાથે થયેલી સંધિઓની જેમ વધુ લવચીક નિયમો લાવવા માંગે છે. આનો હેતુ આર્બિટ્રેશન પ્રક્રિયાને ઝડપી બનાવવાનો અને નિયમોમાં સ્પષ્ટતા લાવવાનો છે.
આ પગલું એવા સમયે લેવાયું છે જ્યારે સપ્ટેમ્બર ૨૦૨૪ થી જૂન ૨૦૨૬ વચ્ચે વિદેશી રોકાણકારો (FII) એ ભારતીય બજારમાંથી $20 બિલિયન થી વધુ રકમ પાછી ખેંચી લીધી છે. ગ્લોબલ રોકાણકારો હવે માત્ર રોકાણ સુરક્ષા જ નહીં, પરંતુ પારદર્શિતા અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ (Ease of Doing Business) માં પણ સુધારાની અપેક્ષા રાખી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે કેબિનેટની મંજૂરી બાદ આ નવી નીતિ કેટલી ઝડપથી અમલમાં આવે છે અને તે કેવી રીતે ભારતની અર્થવ્યવસ્થામાં ફરી રોકાણનો પ્રવાહ વધારવામાં મદદરૂપ થાય છે.
